Mahashivratri: મહાશિવરાત્રી વિશે આ પણ જાણો, મહાશિવરાત્રી નિબંધ, જાણવા જેવું, MahashviRatri Nibandh Gujarati

Mahashivratri: મહાશિવરાત્રી એ એક હિન્દુ તહેવાર છે જે ભગવાન શિવના માનમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. આ તહેવાર વિશ્વભરના હિંદુઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે અને ફાલ્ગુન અથવા માઘના હિંદુ મહિના દરમિયાન નવા ચંદ્રની 14મી રાત્રે મનાવવામાં આવે છે. આ શોધ વર્ણનમાં, તમે મહાશિવરાત્રીના વિવિધ પાસાઓ, જેમ કે તેના નામની ઉત્પત્તિ, તહેવારનું મહત્વ અને તેની સાથે સંકળાયેલી વાર્તા પર વિગતવાર વર્ણન મેળવવાની અપેક્ષા રાખી શકો છો. વધુમાં, તમે મહાશિવરાત્રિ પર એક નિબંધ શોધી શકો છો જે તહેવારના ઇતિહાસ, મહત્વ અને ધાર્મિક વિધિઓનું વર્ણન કરે છે.

Mahashivratri Essay: મહાશિવરાત્રી નિબંધ, જાણવા જેવું

મહાશિવરાત્રી નિબંધ – Mahashivaratri essay

  • મહાશિવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે.
  • જે હિન્દુ ધર્મના પ્રમુખ દેવતા મહાદેવ શિવની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
  • મહાશિવરાત્રિ હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ માસની ચતુર્દશિના દિવસે ઉજવાય છે.
  • મહાશિવરાત્રિ ભારતમાં ઉજવાતા લોકપ્રિય તહેવારો માનો એક તહેવાર છે.
  • આ દિવસે શિવ ભક્તો અને શિવમાં આસ્થા ધરાવતા લોકો ઉપવાસ રાખે છે અને ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે.
  • શિવના બધા જ મંદિરોને શણગારવામાં આવે છે.
  • ભગવાન શિવ સાથે મહા શિવરાત્રીને લગતી કેટલીક માન્યતાઓ છે.
  • હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવના લગ્ન જગત જનની પાર્વતિ જોડે થયા હતા.
  • હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવના લગ્ન જગત જનની પાર્વતિ જોડે થયા હતા.
  • એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ કરીને પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો.
  • કેટલાક વિદ્વાનો એમ પણ માને છે કે આ દિવસે ભગવાન શિવે કાલકૂટ નામનું વિષ પીધું હતું.
  • મહાશિવરાત્રીનું પર્વ એ શિવભક્તો માટે શિવની આરાધના ઉપાસનાનો તહેવાર છે.
  • શિવના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ૐ નમઃ શિવાય ના પાઠ કરે છે,
  • મહાશિવરાત્રિના દિવસે શિવના મંદિરે વહેલી સવારથી જ લાંબી લાઈનો થઈ જાય છે.
  • મંદિરમાં હર હર મહાદેવના નારા અને ઘંટના પડઘા દૂર સુધી સંભળાય છે.
  • ઘણા લોકો આ દિવસે ભગવાન શંકરની તીર્થ યાત્રા પર જાય છે.
  • વારાણસી અને સોમનાથ મંદિર આ બે જયોતિર્લિંગ શિવ ભક્તિ માટે ખૂબ પ્રખ્યાત છે.
  • ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય હોય છે, આ દિવસે ભક્તો ભગવાન શિવને બિલીપત્ર ચડાવે છે.
  • ભાંગનો ભોગ પણ ભગવાન શિવને આ દિવસે ચડાવવામાં આવે છે.

મહાશિવરાત્રી વિશે – About Mahashivaratri

ભારતમાં હિન્દુઓના તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ છે, જેને તેઓ માને છે અને પૂજે છે, પરંતુ તેમાંથી મુખ્ય સ્થાન ભગવાન શિવનું છે. ભગવાન શિવને અનુસરનારાઓ શૈવ નામનો સંપ્રદાય ચલાવતા હતા. શૈવ ધર્મના પ્રમુખ દેવતા ભગવાન શિવને માનવામાં આવે છે અને નિયમિતપણે શિવની ઉપાસના કરવામાં આવે છે. એવું ૫ણ કહેવાવ છે કે બીજા બઘા ભગવાન કરતાં ભગવાન શીવ જલ્દી પ્રસન્ન થાય છે.

શાસ્ત્રો અને પુરાણોમાં ભગવાન શિવનાં અનેક નામો છે, કેટલાક નામો જે તમે પણ જાણતા હશો, ભગવાન શિવને શંકર, ભોલેનાથ, પશુપતિ, ત્રિનેત્ર, પાર્વતીનાથ જેવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે.

મહાશિવરાત્રી નામ કઇ રીતે ૫ડયુ – How did Mahashivaratri get its name?

શિવ પુરાણ મુજબ ભગવાન શિવ બધા જીવના પ્રાણીઓના સ્વામી અને અઘિનાયક છે. આ બધા જીવો, કીટકો ભગવાન શિવ દ્વારા ઇચ્છિત રીતે તમામ પ્રકારના કાર્યો કરે છે. શિવ-પુરાણ મુજબ ભગવાન શિવ વર્ષમાં છ મહિના કૈલાસ પર્વત પર રહીને તપસ્યામાં લીન રહે છે. તેમની સાથે બધા જંતુઓ અને જીવાતો પણ તેમના દર/બીલોમાં બંઘ થઇ જાય છે. તે પછી, છ મહિના સુધી, તેઓ કૈલાસ પર્વત પરથી ઉતરીને પૃથ્વી પરના સ્મશાન ઘાટમાં રહે છે. ત્યારબાદ પૃથ્વી પર તેમનું પુન્ન: આગમન ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ તિથિ પર હોય છે. આ મહાન દિવસ શિવભક્તોમાં “મહાશિવરાત્રી” તરીકે ઓળખાય છે.

મહા શિવરાત્રી સાથે ભગવાન શિવની કેટલીક માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર આ વિશેષ દિવસે મધ્યરાત્રિએ બ્રહ્માના રુદ્ર રૂપમાં ઉતર્યા હતા. તો કયાંક એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ કરીને પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો. આ ઉપરાંત, ઘણી જગ્યાએ આ દિવસ ભગવાન શિવના લગ્ન સાથે પણ સંકળાયેલ હોવાનુ ૫ણ માનવામાં આવે છે જે માન્યતા મુજબ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન આ પવિત્ર દિવસે થયા હતા.

મહાશિવરાત્રીનું મહત્વ – Importance of Mahashivaratri

મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરો ખૂબ જ શણગારવામાં આવે છે. ભક્તો આખો દિવસ નિરઆહાર રહીને વ્રત-ઉપવાસ કરે છે. સાંજે, તેમની અનુકૂળતા અનુસાર, તેઓ ફળો, દૂધ વગેરે સાથે શિવ મંદિરોમાં જાય છે. ત્યાં દૂધ-મિશ્રીત શુદ્ધ જળથી શિવલિંગને સ્નાન કરાવે છે. તે પછી, ફળો, ફૂલો અને દૂધ શિવલિંગ પર અર્પણ કરે છે. આ કાર્ય ખુબ જ પુણ્યદાયક માનવામાં આવે છે. આ સાથે ભગવાન શિવનું વાહન નંદીની પણ આ રાત્રે પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રી પર ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવએ તેમની ઝટામાં ગંગાના ઝડપી પ્રવાહને ઘારણ કરીને આ મૃત્યુલોકના કલ્યાણ માટે ધીરે ધીરે પૃથ્વી ૫ર છોડી દીધી હતી

મહાશિવરાત્રી તહેવારની કથા – The story of Mahashivaratri festival

ભૂતકાળમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તે શિકાર કરીને તે પોતાનો પરિવાર ચલાવતો હતો. તે એક શાહુકારનો દેવાદાર હતો, પરંતુ સમયસર તેનું ઋણ ચૂકવી શક્યો નહીં, ગુસ્સે ભરાયેલા શાહુકારએ એકવાર શિકારીને પકડ્યો અને તેને શિવમઠમાં કેદી બનાવ્યો. યોગાનુયોગ તે દિવસે શિવરાત્રી હતી. શિકારી શિવને લગતી બધી ધાર્મિક બાબતોને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેણે ચતુર્દી પર શિવરાત્રીના ઉપવાસની કથા પણ સાંભળી હતી. સાંજ થતાં સુઘીમાં તેને શાહુકારએ પાસે બોલાવ્યો અને ઋુણ ભરપાઈ કરવા કહ્યું, ત્યારી શિકારી બીજા દિવસે ઋુણ પરત આપવાનું વચન આપીને બંઘનમાંથી મુક્ત થઈ ગયો.

પછી બીજા દિવસે, તેની દૈનિક દિનચર્યાની જેમ, જંગલમાં શિકાર કરવા નીકળ્યો. પરંતુ આખો દિવસ બંદી ગ્રહમાં હોવાને લીધે, તે ભૂખ અને તરસથી વ્યથિત થવા લાગ્યો. શિકારની શોધમાં તે ખુબ દૂર નિકળી ગયો. જ્યારે અંધારું થવા લાગ્યું, ત્યારે તેણે વિચાર્યું કે મારે જંગલમાં રાત પસાર કરવી પડશે, તેણે તળાવના કાંઠે બિલી૫ત્રનું ઝાડ જોયું, તે ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોઇ રહયો. બિલી૫ત્રના ઝાડ નીચે જ શીવલીંગ હતુ તે બિલી૫ત્રોથી ઢંકાયેલ હતુ. શિકારીને એ પણ ખબર નહોતી કે ૫ડાવ બનાવતી વખતે તેણે જે બિલી૫ત્રની ડાળીઓ તોડી હતી તે સંયોગથી શિવલિંગ પર પડી. આ રીતે, દિવસભર ભુખ્યા-તરસ્યા શિકારીની ઉપવાસ ૫ણ થઇ ગયો અને શિવલિંગ ઉપર બિલી૫ત્ર ૫ણ ચડી ગયા. રાત્રીનો ૫હેલો ૫હોર વિત્યા બાદ એક હરણી તળાવમાં પાણી પીવા આવી. આ જોઇને શિકારીએ તેના તિરની કમાન ખેચવા લાગ્યો ત્યારે હિરણીએ કહ્યું, “રોકો, હું ગર્ભવતી છું. તમે એક નહીં બેનો જીવ લેશો તમને પા૫ લાગશે. તેથી શિકારી તેને છોડી દીઘી અને બાણ અંદર મુકતી વખતે ફરી કટલાક બીલી૫ત્રો શિવલીંગ ૫ર ૫ડયા. આમ શિકારીની પ્રથમ ૫હોરની પૂજા ૫ણ થઇ ગઇ.

થોડી વાર પછી ફરી એક હરણ આવ્યું, ફરી શિકરીએ બાણ ખેચ્યુ. આ વખતે હિરણીએ કહ્યું, ‘ હું મારા પતિને મળીને હમણાં આવુ છું, ત્યાર તમે મને મારજો. ત્યારે શિકારીએ ફરીથી બાણ અંદર મુકતી વેળાએ કેટલાક બિલી૫ત્રો શિવલીંગ ૫ર પડ્યા. આ રીતે શિકારીની બીજી ૫હોરની પૂજા ૫ણ થઇ ગઇ. આ રીતે શિકારીના ત્રણેય ૫હોરની પૂજા કોઇને કોઇ કારણસર પૂર્ણ થઈ હતી. તેણે આખો દિવસ ભુખ્યા તરસ્યા રહેવાને કારણે તેનો ઉપવાસ ૫ણ થઇ ગયો હતો. અને શિકારના બહાને આખીરાત્રીનું જાગરણ અને પૂજા ૫ણ થઇ ગયેલ હતી. આ રીતે, શિવની ઉપાસનાથી તેને મોક્ષ પ્રાપ્ત થયુ અને જ્યારે તે મૃત્યુ પામ્યો, ત્યારે તેને યમલોકમાં લઈ જવામાં આવી રહયો હતો ત્યારે શિવગણે તેમને શિવલોકમાં મોકલી દિઘો. શિવજીની કૃપાથી જીવનના આ જન્મમાં, રાજા ચિત્રભાનુ તેમના પાછલા જીવનને યાદ કરવામાં સમર્થ હતા અને મહાશિવરાત્રીના મહત્વની ઉપાસના કરી તે પછીના જીવનમાં પણ તેનું પાલન કર્યું હતું.

શિકારીની કથાઅનુસાર મહાદેવ જાણે અજાણે કરેલા વ્રતનું ૫ણ ફળ આપે છે, એટલે કે ભગવાન શિવ શિકારીના દયાભાવથી વધુ પ્રસન્ન થયા હતા. તેના પરિવાર ૫ણ દુ:ખો આવી ૫ડેલ હોવા છતાં ૫ણ તેમણે કરુણા દર્શાવી શિકારને જવા દીઘો., આમ આ પ્રકારે દયા દર્શાવીને તેને પંડિતો અને પૂજારીઓ કરતાં ચડિયાતી બનાવે છે. જેઓ રાત્રે જાગરણ, વ્રત અને દૂધ, દહીં, બેલપત્રા વગેરે દ્વારા શિવને પ્રસન્ન કરવા માંગતા હોય છે. પણ મનમાં કોઈ દયા રાખતા નથી.તેમના માટે શીખ છે. આ કથાનુંસાર અનુસાર, અજાણતાં કરેલી પૂજાનું મહત્વ ૫ણ ખૂબ અનેરુ છે. આ ઉપરાંત, મનમાં કરુણા રાખવી એ પણ મહત્વપૂર્ણ છે.

Mahashivratri

આમ, મહાશિવરાત્રીના દિવસે જે લોકો દયા દર્શાવીને ભગવાન શિવની પૂજા કરે છે. તે મોક્ષ પ્રાપ્ત કરે છે. આમ ૫ણ ભોળેનાથ શિવને સૌથી ઝડપથી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે. જેમની પૂજા ભારત દેશભરમાં આનંદ સાથે ઉજવવામાં આવે છે. જેને શિવજીની રાત એટલે કે શિવરાત્રી કહેવામાં આવે છે. તેથી, આપણે પણ મનમાં કરુણાની ભાવનાથી શિવની ઉપાસના કરવી જોઈએ અને ભગવાન શિવને આપણા બધા દુ:ખોનો અંત લાવવા વિનંતી કરવી જોઈએ.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો