મધ્યમ વર્ગના લોકો નાની બચતોનુ રોકાન કરી શકે તે માટે પોસ્ટ વિભાગ અનેક સારી બચત યોજનાઓ ચલાવે છે અને તેના પર વ્યાજદર પણ સારા હોય છે.
પોસ્ટ ઓફિસ ગ્રાહકોને આરડી એટલે કે રીકરીંગ ડીપોઝીટ ઓફર કરી રહ્યું છે, જેમાં તમારે દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે.
તેના પર તમને વ્યાજ આપવામા આવે છે. તમે તેમાં દર મહિને ઓછા મા ઓછા 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.
ગુજરાત પોસ્ટ ઓફિસ બચત યોજના
તાજેતરમાં કેન્દ્ર સરકારે રીકરીંગ ડિપોઝિટ પર વ્યાજ ના દર 6.2 ટકાથી વધારી 6.5 ટકા કરી દીધા છે. રોકાણની શરૂઆતમાં રેકરિંગ ડિપોઝિટ પર મળનાર વ્યાજના પૈસામાં બહુ ફેરફાર થતો નથી.
જો તમે રીકરીંગ ડિપોઝિટમાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને 1,41,983 રૂપિયા પાકતી મુદતે પરત મળશે.
જો તમે દર મહિને 2000 રૂપિયા રોકાણ કરતા હોય તો તમે દરરોજ ના 66 રૂપિયા પ્રમાણે વાર્ષિક 24000 નું રોકાણ કરવાનુ આવશે..
જો તમે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને 4000 રૂપિયાનું રોકાણ કરતા હોય તો તમને પાકતી મુદતે પર 2,83,968 રૂપિયા મળશે.