Water Tank Sahay yojana: ખેડૂતોને મળશે રૂ. 9.80 લાખની સહાય, પાણીના ટાંકા બનાવવા સહાય યોજના

Water Tank Sahay yojana માં ખેડૂતોને કેટલી સહાય મળશે અને રજી કરવા સુ કરવું તે વિષે અણીશુ, iKhedut પોર્ટલ પર અનેક વિભાગની યોજનાઓ જાહેર કરવામાં છે. જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ, પશુપાલન યોજના, બાગાયતી ખેતી યોજનાનો સમાવેશ થાય છે. આજના આ લેખમાં આપણે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Water Tank Sahay yojana હેઠળ શું લાભ મળે? તેની ચર્ચા કરીશું.

Water Tank Sahay yojana

સરકાર દ્વારા પાકના ઉત્પાદન, પાકના વિસ્તારમાં વધારો કરવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. હવે સરકાર દ્વારા પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂત પાણીનો સંગ્રહ કરી શકશે. જેનાથી તે સમયસર પિયત કરી શકે અને સારું ઉત્પાદન મેળવી શકે. Water Tank Sahay Yojana શું છે? તેની માહિતી મેળવીશું. પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના

યોજનાનું નામપાણીના ટાંકા બનાવવા સહાય યોજના
કેટલી સહાય મળેવ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂ. 9.80 લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે.
છેલ્લી તારીખ31 – 10 – 203
વિભાગનું નામખેતીવાડી વિભાગ
વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

યોજનાની પાત્રતા અને નિયમો

  • સદર યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત/ Micro irrigation system અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ આપી શકાશે.
  • આ યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા 75 ઘનમીટરની અને વધુમાં વધુ 1000 ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સીની પાણીની ટાંકીનો સમાવેશ કરવાનો રહેશે.
  • આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરો માટે આજીવન એક જ વખત મળી શકશે.

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

  • વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂ. 9.80 લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે.
  • નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.19.60 લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના 50 ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
  • સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.
  • સામુહિક જુથના કિસ્સામાં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડરના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂ.9.80 લાખ બે માંથી જે ઓછુ હોય તે ચુકવવાની રહેશે.
  • નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.19.60 લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના 50 ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
  • સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.

પાણીના ટાંકા બનાવવા સહાયમાં લાભ લેવા કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

I-khedut Portal પર ચાલતી પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • અરજદાર ખેડૂતની 7/12 અને 8-અ ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂતએસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

પાણીના ટાંકા બનાવવા સહાય માં અરજી કેવી રીતે કરવી?

  • પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-1 પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના પર ક્લિક કરવું.
  • જેમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • છેલ્લે, લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ચેનલમાં જોડાવાઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પાણીના ટાંકા બનાવવા સહાય યોજનામાં કેટલી સહાય મળી શકે છે?

વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂ. 9.80 લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે.

Leave a Comment

અમારું Whatsapp ચેનલ જોઈન કરવા અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!