Biporjoy Cyclone Live status: ધ વિન્ડી લાઈવ સાયક્લોન ટ્રેકર Biparjoy વાવાઝોડું પર નિર્ણાયક રીઅલ-ટાઇમ માહિતી પ્રદાન કરે છે, જે વ્યક્તિઓ અને સત્તાવાળાઓને તેના વર્તમાન ઠેકાણા અને સંભવિત અસર વિશે અપડેટ રહેવાની મંજૂરી આપે છે. આ લેખનો ઉદ્દેશ વિન્ડી લાઈવ સાયક્લોન ટ્રેકરની માહિતી પૂરી પાડવાનો છે અને Biparjoy તોફાન ક્યાં પહોંચ્યું છે તે પ્રશ્નનો જવાબ આપવાનો છે.
Biporjoy Cyclone Live status
વિન્ડી લાઈવ સાયક્લોન ટ્રેકર એ વિશ્વભરના ચક્રવાતો અને તોફાનોને ટ્રેક કરવા માટેનું એક અમૂલ્ય સાધન છે. તે સચોટ અને અદ્યતન માહિતી પ્રદાન કરવા માટે અદ્યતન હવામાનશાસ્ત્રીય ડેટા, સેટેલાઇટ છબી અને કમ્પ્યુટર મોડેલિંગનો ઉપયોગ કરે છે. તેના વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ અને વ્યાપક સુવિધાઓ સાથે, તે વ્યક્તિઓ, હવામાનશાસ્ત્રીઓ અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ માટે એક જવાનું સાધન બની ગયું છે.
વિન્ડી લાઈવ સાયક્લોન ટ્રેકર
વિન્ડી લાઈવ સાયક્લોન ટ્રેકર દ્વારા Cyclone Biperjoyનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જે તેના પાથ, તીવ્રતા અને સંભવિત લેન્ડફોલ વિસ્તારો પર રીઅલ-ટાઇમ અપડેટ ઓફર કરે છે. ટ્રેકરને ઍક્સેસ કરીને, વપરાશકર્તાઓ વાવાઝોડાના વર્તમાન સ્થાન, પવનની ગતિ, વાતાવરણીય દબાણ અને અનુમાનિત માર્ગ વિશે વિગતવાર માહિતી મેળવી શકે છે.
બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોંચ્યું
બિપોરજોય વાવાઝોડું બન્યું વધુ સિવિયર સાયકલોન બની રહ્યું છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા માટે ચિંતાના સમચાર સામે આવી રહ્યા છે. હાલમાં બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 620 કિમી દૂર છે. તેમજ સતત દિશા બદલી રહેલા વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાનની વચ્ચે જોવા મળી રહી છે. વાવાઝોડું 9 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું છે. અરબી સમુદ્રમાં દક્ષિણ – પશ્ચિમ પોરબંદર તરફ વાવાઝોડાની ગતિ છે. તેમજ 24 કલાકમાં વાવાઝોડાના લેન્ડફોલની દિશા ખબર પડશે. આ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના છે. આગામી 36 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે.
બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અધિકારીઓ અને કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા સૂચના આપવામા આવી છે. આવનારા વાવાઝોડા ની સંભવિત અસર ને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. ત્યારે વાવાઝોડું 12 જૂન બાદ કરાંચી તરફ ફંટાઈ શકે તેવી શક્યતાઓ દેખાઇ રહિ છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકિનારે અસર કરી શકે છે. વાવાઝોડાને કારણે દરિયાકિનારાના વિસ્તારોમા ભારે પવન ફુંકાશે. દરિયા કિનારે 70 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પણ પડવાની અગાહિ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન
વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન કર્યું છે કે, આગામી 24 કલાકમાં વાવાઝોડું ભયાનક બનશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જૂનાગઢમાં ભારે પવન ફુંકાશે અને વાવાઝોડાથી અરબ સાગર ખળભળી ઉઠશે.
બિપોરજોય વાવાઝોડું હવામાન વિભાગની આગાહિ
દક્ષિણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં પહોંચે તેવી શક્યતાઓ છે. ગુજરાતની દરિયાઈ સીમા પર બિપોરજોયનો ખતરો છે. જેમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા પાસેથી પસાર થશે. તેમાં પોરબંદરથી વાવાઝોડુ 890 કિમી દૂર છે. ત્યારે પ્રતિ કલાક 6 કિમીની ઝડપથી બિપોરજોય વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. તેમજ બિપોરજોય વાવાઝોડાથી તમામ બંદરો પર ભયજનક સિગ્નલ આપવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.
લોકોનુ સ્થળાંતર
પાછલા વર્ષો દરમિયાન આવેલા તૌકતે દરિયાઈ વાવાઝોડાને કારણે સોમનાથ જિલ્લાના અને ભાવનગર જિલ્લાના ઘણા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતુ. તંત્ર તરફથી દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમા સર્વે કરી આશ્રસ્થાનો અને શેલ્ટર હોમની યાદિઓ કરી લેવામા આવી છે. જરૂર જણાયે જરૂરિયાત વાળા લોકોનુ ત્યા સ્થળાંતર તાત્કાલીક કરવામા આવશે. ત્યારે જિલ્લા અને તાલુકા મથકે વાવાઝોડાની આગાહિ ને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરવામા આવ્યા છે.
હવામાન વિભાગની આગાહિ PDF | અહીં ક્લિક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |